2.5.18

આભાર શ્રી સોનલ મિશ્રા (MD, GSRTC) અને ST તંત્ર વાંકાનેર, માત્ર 24 કલાકમાં વાંકાનેર પુલ દરવાજા ખાતે બસોનું સમયપત્રક દર્શાવતું બોર્ડ લાગી ગયું,

wankaner - aapnu wankaner - wankaner st department

આપણું વાંકાનેર દ્વારા તાજેતરમાં જ પુલ દરવાજા બસ સ્ટોપ ખાતે આવતી - જતી બસનું ટાઈમટેબલ નથી અને ત્યાંનું બસ ટાઇમટેબલ બોર્ડ મુખ્ય બસ સ્ટેન્ડમાં !! 🤔 શીર્ષક હેઠળ એક પોસ્ટ પબ્લિશ કરવામાં આવી હતી. 

જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે "દરરોજ હજ્જારોની સંખ્યામાં મુસાફરો અહીંથી એસ.ટી. દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં મુસાફરી કરે છે. તેમ છતાં આ બસ સ્ટોપ પર મુસાફરોને બેસવા માટે એક બેન્ચ કે છાપરાનાં છાંયડાની સુવિધા પણ નથી. એટલું જ નહીં કઇ બસ ક્યારે આવશે અને કઇ બસ ક્યારે ઉપડશે તેની કોઈ પ્રકારની જાણકારી પણ નહીં મળે. બસોના સમયપત્રકનું નાનકડું બોર્ડ પણ અહીં ઉપલબ્ધ નથી." 

ઉપરોક્ત પોસ્ટ તારીખ 30/4/2018 ના રોજ પ્રકાશિત કરાઈ હતી અને ત્યારબાદ એટલે કે આજે 2/5/2018 ના રોજ વાંકાનેર એસટી ડેપો દ્વારા પુલ દરવાજા બસ સ્ટોપ ખાતે આવતી-જતી બસોનું સમયપત્રકનું નવું બોર્ડ મૂકી દેવામાં આવ્યું છે. 


આ પ્રજાવત્સલ IAS અધિકારીએ આપ્યો સહકાર


વાંકાનેર પુલ દરવાજા ખાતે લોકોને પડતી મુશ્કેલીઓ અને સમયપત્રક ન હોવા અંગે હજુ એક દિવસ પહેલા જ એટલે કે 1/5/2018 ના રોજ આપણું વાંકાનેરનાં સંચાલક દ્વારા ગુજરાત રાજ્ય એસટી વિભાગ (GSRTC) ના વાઇસ ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર શ્રી સોનલ મિશ્રાને ઉપરોક્ત બાબતે
WhatsApp મેસેજ દ્વારા રજુઆત કરાઈ હતી અને તેમણે રજુઆતનો ફક્ત જવાબ આપવાને બદલે વાસ્તવિક કામગીરી કરી દેખાડી હતી. અહીં એક મહિલા IAS અધિકારીનો સામાન્ય લોકો પ્રત્યેની સેવા ભાવના અને સકારાત્મક દ્રષ્ટિકોણ સ્પષ્ટ દેખાઈ આવે છે જે નોંધપાત્ર તથા આવકારદાયક છે. 

અંતે આજરોજ 2/5/2018 ના વાંકાનેર એસટી ડેપો દ્વારા પુલ દરવાજા બસ સ્ટોપ ખાતે આવતી-જતી બસોનું સમયપત્રક નવું બોર્ડ મૂકી દેવામાં આવ્યું છે. 

લોકોની સુવિધા માટે તાત્કાલિક કાર્યવાહી કરી આપવા બદલ આપણું વાંકાનેર ઉપરોક્ત IAS અધિકારી શ્રી સોનલ મિશ્રા (MD, GSRTC) અને એસટી તંત્ર વાંકાનેરનો આભાર માને છે.


  લેખક વિષે ↴  
નામ : Ilyas Khan
પરિચય : લેખક આપણું-વાંકાનેર.કોમ નાં ફાઉન્ડર તથા Global Gujarat News | News of Gujarat | The Desi Times | TwoCircles.net | ના પૂર્વ રિપોર્ટર છે. 
સંપર્ક :  - 9898 11 3634