Showing posts with label Programme. Show all posts
Showing posts with label Programme. Show all posts

5.9.19

વાંકાનેર કિડ્ઝલેન્ડ સ્કૂલનાં 11 વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ ઓલમ્પિયાડમાં ચમક્યા


By Ilyas Khan, 

વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ શિક્ષણની સાથે સંસ્કાર આપતી વાંકાનેર શહેરની નામાંકિત શિક્ષણ સંસ્થા એટલે કે કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ પ્રાયમરી સ્કૂલના વિદ્યાર્થીઓએ વધુ એક વખત અનેરી સિદ્ધિ મેળવી છે. 

સ્કૂલનાં 11 વિદ્યાર્થીઓએ SOF ઇન્ટરનેશનલ ઓલમ્પિયાડ 2018 - 19 કે જેમાં ITI મુંબઈ તથા ITI કાનપુર તથા પ્રખ્યાત કેમ્બ્રિજ યુનિવર્સીટીના નિષ્ણાંત શિક્ષકો દ્વારા એક પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે તેમાં ભાગ લઇ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.  

ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત SOF ઇન્ટરનેશનલ ઓલમ્પિયાડ 2018 - 19 માં કુલ 126 સ્કૂલે ભાગ લીધો હતો જે પૈકી કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ પ્રાયમરી સ્કૂલનાં વિદ્યાર્થીઓના દમદાર પ્રદર્શનના કારણે સ્કૂલને 6 ક્રમાંક મળ્યો હતો. 


આજે શિક્ષક દિવસની ઉજવણીની સાથે SOF ઇન્ટરનેશનલ ઓલમ્પિયાડમાં વિજેતા થયેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સ્કૂલમાં જ એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને વિદ્યાર્થીઓને કાર્યક્રમમાં સપસ્થિત પત્રકારો તથા સ્કૂલનાં સ્ટાફના વરદહસ્તે સર્ટિફિકેટ, ગોલ્ડ મેડલ તથા Rs.1000 ના મૂલ્યની ગિફ્ટ એનાયત કરવામાં આવી હતી. 


આ ઉપરાંત આજે શિક્ષક દિવસ નિમિત્તે એક દિવસ માટે શિક્ષક બનેલા વિદ્યાથિઓને પણ સ્કૂલ તરફથી ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરાયા હતા.  

સ્કૂલનાં સંચાલક મેહુલ પી. શાહ તથા ઉપસ્થિત મહાનુભાવોએ તમામ વિજેતા વિદ્યાર્થીઓને સિદ્ધિ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

SOF ઇન્ટરનેશનલ ઓલમ્પિયાડ 2018 - 19 માં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર કિડ્ઝલેન્ડ સ્કૂલનાં વિદ્યાર્થીઓની નામાવલી 

  1. કાવ્યા કાનાબાર - (ધોરણ - 3) 
  2. ધ્રુવિન સાગર - (ધોરણ - 3) 
  3. વીર સરસાવાડિયા - (ધોરણ - 3) 
  4. ધર્મ વાત્સિયાની - (ધોરણ - 3)  
  5. અભિનવ શમા - (ધોરણ - 3) 
  6. પિયુષ યાદવ - (ધોરણ - 3) 
  7. હાર્વી દોશી - (ધોરણ - 4) 
  8. કાવ્યા દેલવાડીયા - (ધોરણ - 4) 
  9. શ્રિયા જોશી - (ધોરણ - 4) 
  10. શાહીન પીંડાર - (ધોરણ - 5) 
  11. પરમ કાનાબાર - (ધોરણ - 5) 

-: WRITTEN BY :-

15.8.19

વાંકાનેર ખાતે વિવિધ સ્થળોએ 15 ઓગસ્ટનાં રાષ્ટ્રીય પર્વની ઉત્સાહભેર ઉજવણી


આજે 15મી ઓગષ્ટ 'સ્વાતંત્ર્ય દિન'  નિમિત્તે વાંકાનેર શહેર અને પંથકમાં વિવિધ સ્થળોએ હર્ષોઉલ્લાસ સાથે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવેલ હતી. 

જે અંતર્ગત વાંકાનેર તાલુકાના જોધપર ગામ ખાતે વાંકાનેર શહેર SDM નીરવકુમાર એફ. વસાવાનાં વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.


તાલુકા કક્ષાના આ ધ્વજવંદન કાર્યક્રમમાં સાંસદ મોહન કુંડારીયા, વાંકાનેર ધારાસભ્ય જાવેદ પીરઝાદા, I/C મામલતદાર એ.બી.પરમાર, સરપંચ ગુલામ શેરસીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 



કાર્યક્રમ દરમિયાન શાળાના બાળકોએ દેશપ્રેમને સમર્પિત વિવિધ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિતો અને ગ્રામજનોનું મન મોહી લીધું હતું. 

સૈયદી લુકમાનજી સાહેબ મઝાર ખાતે ધ્વજવંદન કાર્યક્રમ 



આજે 15મી ઓગષ્ટ 'સ્વાતંત્ર્ય દિન' ની વાંકાનેર વ્હોરા સમાજ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી.


જેમાં શહેરના પેલેસ રોડ પાસે આવેલા સૈયદી લુકમાનજી સાહેબ મઝાર (દાઉદી વ્હોરા મુસાફિરખાના) ખાતે સવારે 9 વાગ્યે વાંકાનેર વ્હોરા સમાજનાં આમીલ શેખ શબ્બીરભાઈ એઝઝીનાં વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. 




કાર્યક્રમમાં વાંકાનેર દાઉદી બોહરા જમાતના સેક્રેટરી હુશેનીભાઈ હાથી અને વાલી મુલા સલમાનભાઈ મલકાણી એ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારેલ હતી તેમજ કાર્યક્રમની સંચાલન વ્યવસ્થા દાઉદી બ્હોરા યંગ ગ્રૂપનાં મેમ્બરોએ સંભાળી હતી.


લીટલ ટ્રી સ્કૂલ ખાતે પણ બાળકોએ ઉજવ્યું રાષ્ટ્રીય પર્વ


વાંકાનેર શાહબાવા દરગાહ નજીક આવેલી લીટલ ટ્રી સ્કૂલ ખાતે પણ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અહીં ધ્વજવંદનનાં કાર્યક્રમ બાદ દેશપ્રેમનાં ગીત-સંગીત પર બાળકોએ પોતાની નિર્દોષ શૈલીમાં નૃત્ય કર્યા હતા.




 -: WRITTEN BY :- 

7.8.19

" વ્યસનની મજા, મોતની સજા.." સ્કૂલનાં બાળકોને ભણાવાયા પાઠ

વાંકાનેર : વાંકાનેર ખાતે આજે જિલ્લા આરોગ્ય ખાતાનાં ડિસ્ટ્રીકટ ટોબેકો કન્ટ્રોલ સેલ (જિલ્લા તમાકુ નિયંત્રણ શાખા) દ્વારા સ્કૂલનાં બાળકોમાં તમાકુ અને વ્યસનથી થતા  નુક્શાનો અંગે જાગૃતિ અને સમજણ આપતો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 

શહેરની અગ્રગણ્ય સ્કૂલ એવી કિડ્ઝલેન્ડ ઈંગ્લીશ પ્રાયમરી સ્કૂલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સ્કૂલનાં પ્રિન્સિપાલ મેહુલ શાહ અને ડિસ્ટ્રીકટ ટોબેકો કન્ટ્રોલ સેલનાં શ્રી શેરસીયા સાહેબે વિદ્યાર્થીઓને તમાકુ અને અન્ય વ્યસનોથી શરીરને થતા ગંભીર નુક્શાનો અંગે સરળ ભાષામાં સમજણ આપી હતી. અને તેના આધારે સ્કૂલનાં  વિદ્યાર્થીઓ વચ્ચે " તમાકુ અને વ્યસન " અંગે નાના નિબંધો લખી આપવા સ્પર્ધા પણ કરાવાઈ હતી. 


નિબંધ સ્પર્ધામાં વિજેતા કુલ 8 વિદ્યાર્થીઓને શેરસીયા સાહેબ તથા સ્કૂલનાં સ્ટાફનાં વરદહસ્તે પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા. 



ઉપરાંત સ્કૂલનાં નર્સરીથી ધોરણ 8 સુધીના તમામ વિદ્યાર્થીઓને તમાકુ અને વ્યસનથી થતા નુકશાન અંગે જાણકારીપૂર્ણ માહિતી આપતી પત્રિકાઓ પણ વિતરણ કરવામાં આવી હતી.

તમાકુ અને વ્યસન વિષય પર નિબંધ સ્પર્ધામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ


  1. ઉત્સવ પારેખ
  2. અસ્મા લાલાની
  3. મહાદેવ બદ્રકીયા
  4. શાહીન પીંડાર
  5. ધ્રુવીત સગર
  6. કેવલ બારભાયા
  7. તાઝીમ કડીવાર
  8. ઝીશાન શેરસીયા

31.10.18

વાંકાનેર શહેરનાં લોકપ્રિય પોલીસ અધિકારી પ્રવિણસિંહ ઝાલા વયમર્યાદાને કારણે નિવૃત થતા વિદાયમાન સમારોહ યોજાયો

wankaner - aapnu wankaner - wankaner news - Pravin sinh p zala - wankaner city police

વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનનાં પટાંગણમાં આજ રોજ તારીખ 31/10/2018 ની સાંજે વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતા પ્રવિણસિંહ પી. ઝાલાનો નિવૃત્તિ વિદાયમાન સમારોહ યોજાયો હતો. 



વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનનાં ASI પ્રવિણસિંહ પી. ઝાલાએ પોતાના મિલનસાર સ્વભાવ અને કુનેહપૂર્વકની પોલીસ કામગીરીથી માત્ર પોલીસ પરિવારમાં જ નહીં પરંતુ વાંકાનેર શહેરની પ્રજામાં પણ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ખાસ કરીને જે તે સમયે વાંકાનેર શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુધારવા અને છેલ્લે LIB વિભાગની પોલીસ કામગીરી કાબીલેદાદ રહી છે. 


20/10/1960 નાં રોજ સુરેન્દ્રનગર જિલ્લાનાં પાનશીણા ગામે જન્મેલા અને ધ્રાંગધ્રા તાલુકાનાં કોંઢ ગામના વતની એવા પ્રવિણસિંહ પી. ઝાલા વાંકાનેર પોલીસ પરિવાર અને વાંકાનેર શહેરમાં " PP ઝાલા " નાં ઉપનામથી વધુ ઓળખીતા છે. તેમણે વાંકાનેર સિવાય ધોરાજી, જસદણ, ઉપલેટા અને મોરબી જેવા શહેરોમાં પણ નિર્વિવાદ પોલીસ કામગીરી કરી ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું.


જીવન ઝરમર : પ્રવિણસિંહ પી. ઝાલા

ભારતીય આર્મીનાં ઓપરેશન બ્લુસ્ટારમાં પણ સહભાગી..


આ વાત બહુ ઓછી જાણીતી છે કે પ્રવિણસિંહ પી. ઝાલા પોલીસ અધિકારી બન્યા તે પહેલા 1979 થી 1985 સુધી એટલે કે 6 વર્ષ સુધી ભારતીય થલ સેનામાં પણ ફરજ બજાવી ચુક્યા છે. એટલું જ નહીં પરંતુ સેનાની સર્વિસ બુકમાં તેમને " Example " (અન્ય માટે અનુકરણીય અને દ્રષ્ટાંતરૂપ) નું બિરુદ પણ મળેલ.

ઉપરાંત સેનાનાં બહાદુર જવાન તરીકે એમને જમ્મુ કાશ્મીર, અરુણાચલ પ્રદેશ જેવા ટફ વિસ્તારોમાં પોસ્ટિંગ મળેલ અને એમણે ત્યાં પણ સુપેરે ફરજ બજાવી. એ સિવાય ભારતીય સેનાનાં ઇતિહાસમાં સ્થાન પામેલ " ઓપરેશન બ્લુસ્ટાર " માં પણ પ્રવિણસિંહ ઝાલા ભારતીય સેનાનો ભાગ રહ્યા હતા જે વાંકાનેર માટે ગૌરવની વાત કહેવાય. 

વાંકાનેર શહેરની ટ્રાફિક વ્યવસ્થામાં બેનમૂન કામગીરી ..


1986 થી ગુજરાત પોલીસમાં જોડાઈ 2018 સુધી 32 વર્ષ પોલીસ અધિકારી તરીકે ધોરાજી - ઉપલેટા - જસદણ - વાંકાનેર - મોરબી - વાંકાનેર એમ સૌરાષ્ટ્રભરમાં ફરજ બજાવી ચૂકેલા પ્રવિણસિંહ ઝાલાની વાંકાનેર ખાતેની ટ્રાફિક કામગીરી આજે પણ શહેરનાં લોકો યાદ કરે છે. 

2008 - 2009 - 2015 નાં સમયગાળામાં વાંકાનેર શહેર પોલીસનાં ટ્રાફિક વિભાગમાં પ્રવિણસિંહ ઝાલા અને તે સમયે વાંકાનેર શહેર પોલીસમાં તેમના સહકર્મચારી તરીકે ફરજ બજાવતા આદમભાઈ ઠેબા (હાલ મોરબી જિલ્લા ટ્રાફિક, ASI) ની જોડીએ સામાન્ય પ્રજાથી લઈ ઉપરી અધિકારી અને વેપારીઓથી લઈ ગરીબ લારીગલ્લા વાળાઓ સુધી કોઈને પણ ટ્રાફિકથી મુશ્કેલી ન પડે તે રીતે સંતુલન ગોઠવી બેમિસાલ કામગીરી કરી હતી જેને આજે પણ વાંકાનેરનાં લોકો યાદ કરે છે. 

ઉપરાંત તેઓએ વાંકાનેર સિવાય મોરબીમાં પણ પોણા ત્રણ વર્ષ સુધી ટ્રાફિક બ્રાન્ચની અસરકારક કામગીરી કરી હતી. 

આજ રોજ વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનનાં પટાંગણમાં આયોજિત તેમના નિવૃત્તિ વિદાય સમારોહમાં CPI બ્રહ્મભટ્ટ સાહેબ, શહેર PI BT વાઢીયા સાહેબ, શહેર PSI MJ ધાધલ સાહેબ, શહેર PSI RP જાડેજા સાહેબ, વાંકાનેર તાલુકા PSI GR ગઢવી સાહેબ સહિત સમગ્ર વાંકાનેર પોલીસ પરિવાર તથા શહેરનાં પ્રતિષ્ઠિત નાગરિકો અને શ્રેષ્ઠીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. 

 લેખક વિષે ↴  


નામ : Ilyas Khan
પરિચય : લેખક આપણું-વાંકાનેર.કોમ નાં ફાઉન્ડર તથા Global Gujarat News | News of Gujarat | The Desi Times | TwoCircles.net | Beyondheadlines.in ના પૂર્વ ન્યુઝ રિપોર્ટર છે. 
સંપર્ક : 9898 11 36 34

19.10.18

વાંકાનેર ખાતે પાંચમાં સુન્ની મુસ્લિમ સમુહલગ્નનું આયોજન, 11 દુલ્હા-દુલ્હન લગ્ન સંબંધે જોડાશે

wankaner - aapnu wankaner - muslim samuh lagna - wankaner news

Wankaner : વાંકાનેર ખાતે આગામી 28/10/2018 રવિવારનાં રોજ પાંચમાં સુન્ની મુસ્લિમ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. હઝરત ખ્વાજા ગરીબ નવાઝ ક્રિએટિવ યંગ ગ્રૂપ ઓફ વાંકાનેર દ્વારા આયોજિત આ સમુહલગ્નમાં 11 દુલ્હા-દુલ્હન એકબીજા સાથે લગ્ન સંબંધે જોડાશે. 

ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત સમૂહલગ્નનાં આયોજક એવા હઝરત ખ્વાજા ગરીબ નવાઝ ક્રિએટિવ યંગ ગ્રુપનાં યુવા કાર્યકરોની ટીમ સમયાંતરે આ પ્રકારનાં સમુહલગ્નનું આયોજન કરી રહી છે. 

ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓનાં લગ્નપ્રસંગે તેનાં ઘરવાળાઓ પર ઓછામાં ઓછો આર્થિક બોજ આવે તેવા ઉમદા હેતુથી આ સમુહલગ્નનું આ વર્ષે પણ આયોજન કરાયું છે. જેમાં અનેક નામી-અનામી દાતાઓ પણ યથાશક્તિ યોગદાન આપી સહભાગી બન્યા છે. 

-::  કાર્યક્રમની રૂપરેખા  ::-

● સમૂહલગ્ન તારીખ - ૨૮/૧૦/૨૦૧૮
● સમૂહલગ્નનું સ્થળ - તાલુકા શાળા-૧ નું ગ્રાઉન્ડ
● સમય - સવારે ૧૦:૦૦ કલાકે


27.7.18

વાંકાનેર ખાતે આગામી રવિવારે જિલ્લા કક્ષાનાં વન મહોત્સવનું આયોજન

wankaner- aapnu wankaner - wankaner forest department

[By Ilyas Khan] :
વાંકાનેરમાં આગામી 29 જુલાઈ ના રોજ મોરબી જિલ્લાનો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ 2018 યોજાનાર છે. રાજ્ય સરકાર અને વન વિભાગ દ્વારા "ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત" નાં સ્લોગન સાથે ગુજરાતભરમાં વન મહોત્સવ ઉજવાય રહ્યા છે જે અંતર્ગત મોરબી જિલ્લાનો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ વાંકાનેર ખાતે વાસણભાઇ આહીર (રા.ક.મંત્રીશ્રી, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ વિભાગ) ના અધ્યક્ષપદે યોજાનાર છે. 

ઉપરોક્ત કાર્યક્રમ આગામી તારીખ 29/7/2018 રવિવારનાં રોજ યોજાશે તથા કાર્યક્રમનું સ્થળ ગાયત્રી મંદિર, વાંકાનેર તથા સમય સવારનાં 10:00 વાગ્યાનો રાખવામાં આવેલ છે. 

કાર્યક્રમમાં જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છના સાંસદશ્રીઓ તથા મોરબી, વાંકાનેર, ટંકારા, કાલાવાડ અને ધ્રાંગધ્રાના ધારાસભ્યશ્રીઓ તેમજ જિલ્લા કલેક્ટર R.J.માકડીયા, જિલ્લા વિકાસ અધિકારી S.M.ખટાણા, નાયબ વન સંરક્ષક, મોરબી M.M.ભાલોડી ઉપસ્થિત રહેનાર છે. 

ઉપરાંત ગુજરાત રાજ્ય મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખ ભંડેરી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.

13.3.18

વાંકાનેર : તાલુકા શાળા નં-૪ (રામકૃષ્ણનગર) ખાતે શિક્ષકોનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો


શહેરનાં રામકૃષ્ણનગર ખાતે આવેલી તાલુકા શાળા નં - 4 માંથી નિવૃત્તિ સબબ વિદાય લેતા જગદીશચંદ્ર દવે, બલભદ્રસિંહ ઝાલા, પોપટલાલ કાવઠીયા, જશુમતીબેન ચૌહાણ, અનિલાબેન લાખાણી અને કંચનબેન જોશીનો વિદાય સમારંભ કોંગ્રેસી અગ્રણી ઈરફાન પીરઝાદાનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. 

આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર.ગરચર, દિપાબેન બોડા, રાજકોટ જિલ્લા પ્રા.શિ.સંઘના પ્રમુખ રતુભાઈ ચાવડા, તા.પ્રા.શિ.સંઘ માળીયાના અગ્રણી દિનેશભાઇ હૂંબલ, ઘનશ્યામભાઈ દેથરીયા, ડાહ્યાલાલ બારૈયા, પૂર્વ બી.આર.સી.કો.ઓ. દિનેશભાઇ વડસોલા, બ્રહ્મસમાજ અગ્રણી ભરતભાઇ ઓઝા, નરેન્દ્રભાઈ જોશી, દીપકભાઈ ઠક્કર, ઇસ્માઇલી ખોજા જ્ઞાતિનાં અગ્રણી સલીમભાઈ મુખીયાણી, પર્યાવરણ એવોર્ડ વિજેતા કેશવલાલ નમેરા, ક્ષત્રિય આગેવાન વજુભા બાપુ, મોરબી ઉમિયા પરિવારના ઉદ્યોગપતિ, ચૌહાણ પરિવારના અગ્રણીઓએ હાજર રહી નિવૃત થયેલા શિક્ષકોની સેવાને બિદરાવી હતી. 

ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા શાળા આચાર્યશ્રી હસમુખરાય મકવાણા, પેટાશાળાના આચાર્યશ્રીઓ, પૂર્વ બી.આર.સી. હિતેશભાઈ સતાસીયા, પૂર્વ સી.આર.સી. અલ્પેશ દેસાણી, મનીષભાઈ, સુરેલાભાઈ, જેઠાલાલ, ગોવિંદભાઇ વગેરેએ જહેમત ઉઠાવી હતી.


લેખન અને સંકલન : ઇલ્યાસ ખાન