વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના ગ્રામજનો દ્વારા આજે ચંદ્રપુર ગામમાં છેલ્લા ૩ માસથી પાણીની તંગી અને પાણી ન આવતું હોવાની ફરિયાદ સાથે તાલુકા વિકાસ અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું હતું. અને જો તંત્ર દ્વારા તાકીદે આ સમસ્યા નહિ ઉકેલવામાં આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી.
તાલુકા પંચાયત કચેરીએ રજુઆત કરવા આવેલા ગ્રામજનોએ લેખિત આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામમાં ક્યારેક ૧૦ કે ૧૫ દિવસે એક વાર પાણી મળે છે. જેથી લોકોને ઉનાળાના આકરા તાપમાં પાણી માટે હેરાન થવું પડે છે. તેમજ આ મુદ્દે અવારનવાર પંચાયતને મૈખિક રજૂઆત કરવામાં આવ્યા છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી. આ સમસ્યાનો કોઈ ઉકેલ તાકીદે કરવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી.
લેખક વિષે ↴
નામ : Ilyas Khan
પરિચય : લેખક આપણું-વાંકાનેર.કોમ નાં ફાઉન્ડર તથા Global Gujarat News | News of Gujarat | The Desi Times | TwoCircles.net | ના પૂર્વ રિપોર્ટર છે.
સંપર્ક : - 9898 11 3634
પરિચય : લેખક આપણું-વાંકાનેર.કોમ નાં ફાઉન્ડર તથા Global Gujarat News | News of Gujarat | The Desi Times | TwoCircles.net | ના પૂર્વ રિપોર્ટર છે.
સંપર્ક : - 9898 11 3634

