6.5.18

વાંકાનેર : નેશનલ હાઇવે પાસેના ગંધાતા રેલવે નાલાની સફાઈ ચોમાસા પહેલા થશે ??

wankaner - aapnu wankaner - wankaner city - wankaner news (2)

વાંકાનેર નેશનલ હાઇવે પાસેનાં રેલવે નાલામાં છેલ્લા બે વર્ષ કે એથીયે વધુ સમયથી સફાઈ ન થતી હોય અને અસહ્ય ગંદકી ફેલાઈ રહી હોય તે અંગેનાં અહેવાલો ગત તારીખ 6 માર્ચ 2018 અને 01 એપ્રિલ 2018 નાં રોજ આપણું વાંકાનેરમાં અનુક્રમે ભાગ-1 અને ભાગ-2 સ્વરૂપે પ્રકાશિત થયા હતા.

જો કે આ મામલે હજુ સુધી કોઈ પણ પ્રકારનાં પગલાં ન લેવાતા સ્થાનીય લોકો અને અહીંથી રોજબરોજ અવરજવર કરતા રાહદારીઓ વગર વાંકે યાતના ભોગવી રહ્યા છે.

ચોમાસા પહેલા સમસ્યા હલ થઈ જશે : ચીફ ઓફિસર


વિશ્વસનીય સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર તા. 1/5/18 ના રોજ NHAI ના જવાબદાર અધિકારી ઉપરોક્ત મુદ્દે વાંકાનેર આવેલ અને વાંકાનેર નગરપાલિકાનાં ચીફ ઓફિસર સાથે નાલાની સ્થળ મુલાકાત કરવાના હતા.  પરંતુ આજદીન સુધી પરિસ્તીથી જેમ ની તેમ જ રહેતા NHAI અને ચીફ ઓફિસર વચ્ચે ખરેખર સ્થળ મુલાકાત લેવાઈ હતી કે કેમ તેની હકીકત જાણવા આપણું વાંકાનેરનાં ફાઉન્ડર ઈલ્યાસ ખાન દ્વારા ચીફ ઓફિસર ગિરીશ સરૈયા સાથે ફોન પર સંપર્ક કરવામાં આવ્યો હતો જે વાતચીતનાં અંશો અત્રે પ્રસ્તુત છે.

ઈલ્યાસ ખાન - સાહેબ, ચંદ્રપુર નાલામાં છેલ્લા ઘણા સમયથી ગટરનું પાણી ભરાઈ રહે છે તે મુદ્દે હાલમાં કોઈ અપડેટ (કાર્યવાહી) થઈ છે ?

ગિરીશ સરૈયા - ના

ઈલ્યાસ ખાન - એવી માહિતી છે કે આ મુદ્દે NHAI ના જવાબદાર અધિકારી અને આપની વચ્ચે સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. એ હકીકત સાચી છે ?

ગિરીશ સરૈયા - ના હું તેમને નથી મળ્યો. પ્રાંત સાહેબ* મળ્યા હતા.

ઈલ્યાસ ખાન - એટલે નાલામાં ભરાયેલા ગંદા પાણીના નિકાલ માટે કોઈ સમયમર્યાદા નક્કી થઈ છે ? કોઈ માહિતી ખરી ?

ગિરીશ સરૈયા - ના, કોઈ સમયમર્યાદા નથી આપવામાં આવી હા, ચોમાસા પહેલા સમસ્યા હલ થઈ જશે..

*પ્રાંત સાહેબ = ડેપ્યુટી કલેકટર SDM - વાંકાનેર 
_______________

છેલ્લા બે વર્ષ કે એથીય વધુ સમયથી શહેરના લોકો હાઇવેના આ નાલામાં ભરાયેલા ગટરનાં ગંદા અને દુર્ગંધથી ખદબદતા પાણીથી પરેશાન છે અને તેમાંથી છુટકારો મળવાનો હાલ તો કોઈ ચાન્સ નથી જે ચીફ ઓફિસર સાથેની વાતચીતથી સ્પષ્ટ થાય છે.

જવાબદારીની ફેંકમફેંક વચ્ચે મરો સામાન્ય માણસનો


ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત મુદ્દે NHAI (નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા) અને સ્થાનિક તંત્ર દ્વારા એકબીજા પર જવાબદારીની રીતસર ફેંકાફેંકી થઈ રહી છે. કોઈને એ નથી પડી કે અહીંથી ચાલીને જતા એક સામાન્ય નાગરિકને વગર વાંકે કેટલી મુશ્કેલી વેઠવાની રહે છે. જો ક્યારેક પોતાની હાઇફાઈ ગાડીઓમાંથી નીચે ઉતરી આ નાલા પાસે ફક્ત 20 મિનિટ પણ કોઈ અધિકારી ઉભા રહી દેખાડે તો તેમને પરિસ્તીથીનો સાચો ખ્યાલ આવે.

અહીં એ પણ વાસ્તવિકતા છે કે કોઈપણ સરકારી અધિકારી કે કર્મચારીને અનેક મોરચા સંભાળવાના રહેતા હોય છે પરંતુ સામે એ પણ એટલું જ વ્યાજબી કારણ છે કે  તેઓ સરકારી કાર્યક્રમોમાં પરસેવો પાડી જે વફાદારી દર્શાવે છે તેની માત્ર અડધી વફાદારી સામાન્ય માણસ અને પ્રજા માટે પણ દર્શાવે તો ખરા કર્મનિષ્ઠ અધિકારી કહેવાય. અને એ રીતે કામ કરી પણ શકાય છે. જેના બે ઉત્તમ દ્રષ્ટાંત આ રહ્યા..

  1. રજુઆત કર્યાનાં માત્ર 24 કલાકમાં લોકહીતનું કામ કરી આપ્યું આ મહિલા IAS અધિકારીએ
  2. વાંકાનેર : ચાવડી ચોક ખાતેની પોલીસ ચોકી ફરી કાર્યરત, કર્મનિષ્ઠ પોલીસ અધિકારીનો સરાહનીય પ્રયાસ

 લેખક વિષે ↴ 

નામ : Ilyas Khan
પરિચય : લેખક આપણું-વાંકાનેર.કોમ નાં ફાઉન્ડર તથા Global Gujarat News | News of Gujarat | The Desi Times | TwoCircles.net | ના પૂર્વ રિપોર્ટર છે. 
સંપર્ક :  - 9898 11 3634