(By Ilyas Khan), શહેરભરમાં લગભગ દરકે રસ્તાઓની હાલત બિસ્માર છે જેના કારણે તાજેતરમાં જ એટલે કે ગત તારીખ 13/3 ના રોજ રોડ બેસી જવાના કારણે શહેરમાં અલગઃ - અલગ ત્રણ જગ્યાએ પાણીની ભૂગર્ભલાઇન તૂટી હતી અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું. ઉપરોક્ત જે ત્રણ જગ્યાઓ પર ભંગાણ સર્જાયું હતું તે પૈકી દાણાપીઠ ખાતેનું ભંગાણ મોટું હોવાથી નગરપાલિકાની વોટરવર્કસ શાખાના અશોક રાવલ અને તેની ટીમ દ્વારા તેનું તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. આ લોક ફરિયાદને "આપણું વાંકાનેર" પર પણ તારીખ 14/3 ના પ્રકાશિત કરવામાં આવી હતી
![]() |
| લોક ફરિયાદ અંગે વાંકાનેર પ્રાંત અધિકારી અને મોરબી કલેક્ટરને ટ્વિટ દ્વારા માહિતગાર કરી યોગ્ય કાર્યવાહી કરવા વિંનતી કરવામાં આવી હતી |
જો કે ગ્રીનચોકના મુખ્ય વીજપોલ નજીક થયેલ ભંગાણ રીપેર થયું ન હતું જે અંગે 16/3 ના રોજ " આપણું વાંકાનેર" ના ટ્વિટર હેન્ડલ (@aapnuwankaner)પરથી વાંકાનેર પ્રાંત અધિકારી અને મોરબી કલેક્ટરને ટ્વિટ દ્વારા માહિતગાર કરી યોગ્ય કાર્યવાહી કરવા વિંનતી કરવામાં આવી હતી. જે સંદર્ભે વાંકાનેર પ્રાંત અધિકારી દ્વારા ઉપરોક્ત લોક ફરિયાદને તાત્કાલિક ધ્યાને લેતા બીજા જ દિવસે એટલે કે તારીખ 17/3 ના રોજ ગ્રીનચોક ખાતેની લીકેજ ભૂગર્ભલાઇનનું સમારકામ કરી દેવામાં આવ્યું હતું.
લોક ફરિયાદનો ઓનલાઇન પ્રત્યુત્તર આપવાની સાથે સ્થળ પરનું કામ પણ ત્વરિત અને ઝડપી કરાવી આપવા બદલ " આપણું વાંકાનેર " પ્રાંત અધિકારી વાંકાનેર અને કલેક્ટરશ્રી મોરબીનો આભાર વ્યક્ત કરે છે.
![]() |
| " આપણું વાંકાનેર " દ્વારા ઉપરોક્ત અધિકારીઓ તરફથી તાત્કાલિક અને સરાહનીય કામગીરી બદલ ટ્વિટર પર પણ આભાર વ્યક્ત કરાયો હતો |


