14.3.18

વાંકાનેર : રસ્તો બેસી જવાના કારણે બે દિવસમાં ત્રણ જગ્યાએ ભૂગર્ભલાઇન તૂટી

wankaner - wankaner news - wankaner city - aapnu wankaner

wankaner : (ઇલ્યાસખાન દ્વારા), લગભગ છેલ્લા બે વર્ષથી વાંકાનેર શહેરના ઘણા ખરા રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર થયેલી છે. અને તેમાંય ખાસ કરીને પુલ દરવાજા થી પ્રતાપ રોડ થઈ જીનપરા - હાઇવે સુધી જવાનો મુખ્ય રસ્તો ગાડામાર્ગ બની ચુક્યો છે.

વળી રાજકોટ રોડ પરનાં બેઠા પુલને તોડી નવો પુલ બનાવવાનું કામકાજ ચાલુ હોવાથી ત્યાંનો બધો ટ્રાફિક આ રસ્તા પર રહે છે જેના કારણે સ્થાનિકોને વિના વાંકે  હાલાકી ભોગવવી પડી રહી છે. 

પાણીની લાઈપલાઈનમાં ભંગાણ
પ્રતાપરોડ પર ભારે વાહનોની સતત અવરજવરને કારણે અહીંના ભમ્મરીયા કુવા પાસે રોડ બેસી જતા પાણીની ભૂગર્ભલાઈનમાં ગત તા. 13/3 નાં રોજ ભંગાણ સર્જાયું હતું અને કલાકો સુધી રોડ પર પાણીનો વેડફાટ થયો હતો. 

ગ્રીનચોકના મુખ્ય વિજપોલ પાસે લીકેજ ભૂગર્ભલાઈન
ગ્રીનચોક પાસે પણ લાઈન તૂટી
ભમ્મરીયા કુવા પાસે પાણીની ભૂગર્ભલાઈન તૂટ્યાનાં બીજા દિવસે એટલે કે આજે 13/3 નાં રોજ સવારે ગ્રીનચોકના મુખ્ય વિજપોલ પાસે જ ભૂગર્ભલાઈન તૂટી હતી અને રોડ પર પાણી વહ્યુ હતું. 

દાણાપીઠ પાસેની લાઈન પણ ..
બે દિવસમાં બે જગ્યાએ પાણીની ભૂગર્ભલાઈન તૂટ્યા બાદ રીપેર થાય એ પહેલાં જ ગ્રીનચોકથી દાણાપીઠ જવાના રસ્તે આવેલી પાણીની પાઇપલાઇનમાં મોટું કહી શકાય તેવું ભંગાણ સર્જાયું હતું. જેના કારણે દાણાપીઠ રોડ આખો રસ્તો પાણી પાણી થઈ ગયો હતો.

ભૂગર્ભલાઇન તૂટતાં દાણાપીઠ રોડ વિસ્તાર પાણી પાણી થઈ ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે દાણાપીઠ પાસેની આ પાઇપલાઇન લગભગ દર મહિને ઓછામાં ઓછું એક વખત તો તૂટે જ છે. જો કે આ વખતે ભંગાણના કારણે રોડ પર પાણીની નદી વહેવા લગતા તાત્કાલિક વાંકાનેર નગરપાલિકા વોટરવર્કસ શાખાના અશોકભાઈ રાવલ અને તેની ટીમે સમારકામ ચાલુ કર્યું હતું.