" મારા એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકેના ફરજકાળ દરમિયાન વાંકાનેરની પ્રજા તરફથી જેટલો પ્રેમ અને સહકાર મળ્યો છે તેટલો મને ક્યાંય નથી મળ્યો, રિયલી અનબિલીવેબલ... "
" વાંકાનેર શહેરમાં ક્યાંય પણ લુખ્ખાઓની દાદાગીરી હોય, રોમિયોગીરીનો ત્રાસ હોય તથા દારૂ કે જુગાર જેવી બદી હોય શહેરનો કોઈપણ સામાન્ય નાગરિક ફરિયાદ માટે ડાયરેકટ મારા મોબાઈલ નંબર પર નિર્ભયપણે સંપર્ક કરી શકે છે... "
ગત માસમાં જ એટલે કે ફેબ્રુઆરી 2018 માં વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં પ્રોબેશનલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે નિમણુંક પામેલા RP જાડેજા (રામદેવસિંહ પી. જાડેજા) એ ફરજ સાંભળ્યાનાં માત્ર દોઢ મહિનાના સમયગાળામાં જ વાંકાનેર શહેરની પ્રજામાં સારી એવી લોકચાહના મેળવી છે.
![]() |
| વાંકાનેરની પ્રજા તરફથી મને જેટલો પ્રેમ અને સહકાર મળ્યો છે તેટલો મને ક્યાંય નથી મળ્યો : RP જાડેજા |
PSI RP જાડેજાએ પોતાની કામગીરીથી એક સારા અધિકારી જો પોતાની " માત્ર ફરજ " નિભાવે તો પણ પ્રજામાં કેવી લોકચાહના મેળવી શકે તેનો ઉત્તમ દાખલો બેસાડ્યો છે.
જો કે કોઈ અધિકારીનાં બે-ત્રણ કામોથી પ્રભાવિત થઈ જઈ ચમચાગીરી શરૂ કરી દેવી એ પણ યોગ્ય નથી. RP જાડેજાની વાંકાનેર શહેર PSI તરીકે ચાર્જ સંભાળ્યા બાદની દોઢેક મહિનાની કામગીરીનું નિરીક્ષણ કરતા અગાઉનાં પોલીસ અધિકારી અને આ પોલીસ અધિકારીની કામગીરીમાં જમીન આસમાન જેટલો તફાવત સ્પષ્ટ દેખાઈ આવે છે.
જેને અનુલક્ષીને "આપણું વાંકાનેર" દ્વારા શહેર PSI RP જાડેજા સાથે એક મુલાકાત ગોઠવાઈ હતી જેમાં તેઓએ પોતાના વિચારો અને મંતવ્ય ખુલ્લા મને રજૂ કર્યા હતા. તેમની સાથે થયેલ સવાલ - જવાબ અહીં પ્રસ્તુત કરવામાં આવ્યા છે.
Q - તમારું વતન અને તમારા ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે કઇંક કહો
A - મારુ વતન ધ્રોલ તાલુકાનું રોજીયા ગામ છે અને હું એક ખેડૂતપુત્ર છું. સામાન્ય આર્થિક સ્થિતિના ફેમિલીમાં માતા - પિતા અને બે ભાઈ બે બહેનોમાં હું સૌથી નાનો. પિતા અને મોટાભાઈ બન્ને ખેતીકામ કરે છે અને મેં પોલીસ ફોર્સ જોઈન કરી.
Q - પોલીસ ફોર્સ જોઈન કરવાનું કારણ શું ? અને તેમાં ફેમિલીનો સપોર્ટ કેવો મળ્યો ?
A - પોલીસ ફોર્સ જોઈન કરવા પાછળ કોઈ એવું મુખ્ય કારણ નહોતું અને કોઈમાંથી પ્રેરણા મળી હોય અને પોલીસ જોઈન કરી હોય એવું પણ નહોતું. અસલમાં મને એવું લાગ્યું કે મારી પોતાની અમુક આદત, સ્વભાવ અને કાર્યશૈલી એવી જ છે જેવી એક પોલીસ અધિકારીની હોવી જોઈએ. બસ ત્યારબાદ પાછું વળીને જોયું નહીં અને અંતે પોલીસ ફોર્સ જોઈન કરી. આ માટે મને ફેમિલીમાંથી સંપૂર્ણ સહયોગ મળ્યો અને તેમાંય ખાસ કરીને મારા મોટાભાઈનો સૌથી વધુ. મને યાદ છે હું મારા ગામ (રોજીયા) માં સૌ પહેલો પોલીસ અધિકારી બન્યો હતો.
Q - પોલીસ ફોર્સ જોઈન કર્યા પછી કેમ રહ્યું ?
A - પોલીસ ફોર્સ જોઈન કર્યા પછી મારી સૌથી પહેલી સર્વિસ જામનગર ખાતે એક પોલીસ કોન્સ્ટેબલ તરીકે શરૂ થઈ, ત્યારબાદ મોરબી અને હાલ વાંકાનેર પ્રોબેશનલ પીએસઆઇ તરીકે.
Q - ક્યારેય એવું બન્યું કે પોલીસ ફોર્સ જોઈન કરવા બદલ અફસોસ થયો હોય ?
A - પોલીસની લાઈફ ઘણી ટફ હોય છે. અમારે પોતાના ઉપરી અધિકારી, પોતાના સ્ટાફ અને પ્રજા વચ્ચે સંતુલન અને સંકલનથી કામ કરવાનું હોય છે. એક પોલીસ અધિકારી પરનું કામનું પ્રેશર અને તેની વ્યથા તમે પોલીસ હોવ તો જ જાણી શકો. તેમ છતાં ક્યારેક એવું પણ બને કે અમે પણ પોલીસ જોબથી હતાશ થઈએ ખાસ કરીને જ્યારે પરિવારને સમય ફાળવી ન શકીએ ત્યારે.
Q - ફરજ દરમિયાન ક્યારેય ઇમોશનલ થઈ જવાનો પણ પ્રસંગ આવ્યો ?
A - હા, કેમ નહીં ? એક પોલીસ આખરે એક માણસ જ છે. મને યાદ છે જામનગર ખાતે ફરજ દરમિયાન દેશી દારૂના વેચાણ અંગેની બાતમીના આધારે એમ એક ઘર જેવા સ્થાન પર દરોડો પાડ્યો હતો. પરંતુ ત્યાંનું દ્રશ્ય જોઈ મારુ હૃદય દ્રવી ઉઠ્યું હતું એક અંધ અને એક વિકલાંગ બે નાના બાળકો અને તેની બીમાર માં.. કદાચ દેશી દારૂના વેચાણથી જ એમનું ઘર ચાલતું હતું. અમે સામેથી તે પરિવારને આર્થિક સહાય કરી. એ સિવાય પણ આવા ઘણા પ્રસંગો આવ્યા જ્યાં અમે એક પોલીસ અધિકારી તરીકે માનવતા દાખવી હોય.
A - જી, જામનગર જિલ્લા પોલીસ વડા શ્રી પ્રદીપ સેજુલ સર અને મોરબી જિલ્લા પોલીસ વડા શ્રી જયપાલસિંહ રાઠોડ સર મારી પોલીસ અધિકારી તરીકેની અત્યાર સુધીની કારકિર્દી માટેના પ્રેરણારૂપ વ્યક્તિ અને રોલ મોડલ રહ્યા છે અને આગળ પણ રહેશે.
Q - વાંકાનેર શહેરમા આપનો અનુભવ કેવો રહ્યો ?
A - પોલીસ ફોર્સ જોઈન કર્યા બાદ મેં પહેલા જામનગર બાદમાં મોરબી અને હાલ વાંકાનેર શહેરમાં ફરજ બજાવી પણ મારા એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકેના ફરજકાળ દરમિયાન વાંકાનેરની પ્રજા તરફથી જેટલો પ્રેમ અને સહકાર મળ્યો છે તેટલો મને ક્યાંય નથી મળ્યો, અદ્દભુત રિયલી અનબિલીવેબલ..
Q - રાત્રી દરમિયાન આપના સઘન નાઈટ પેટ્રોલિંગનાં કારણે લોકો આપની પ્રસંશા કરે છે ? શું કહેશો ?
A - ખરેખર મને નવાઈ લાગે છે કે મેં જ્યારે વાંકાનેર શહેર PSI તરીકે ફરજ સંભાળ્યા બાદ મોડી રાત્રે દુકાનો બંધ કરાવવી અને અમથા ઉજાગરા કરતા તત્વોને ઘરભેગા કરવાની કામગીરી કરી તો લોકો પ્રસંશા કરવા લાગ્યા. ખરેખર તો એ પોલીસનું સામાન્ય કામ અને ફરજ છે હું જ્યારે જામનગર અને મોરબી હતો ત્યાં પણ આજ પ્રકારે કામગીરી કરતો તેમાં પ્રસંશા કરવા જેવું કશું જ નથી.
Q - શહેરની ટ્રાફિક સમસ્યા મુદ્દે તો આપે કામગીરી કરી પણ એ સિવાય પોલીસે શહેરની અન્ય સમસ્યાઓ તરફ પણ ધ્યાન આપવું જોઈએને ?
A - જુઓ, મેં વાંકાનેર શહેર PSI તરીકે ચાર્જ સંભાળ્યો તેને હજુ દોઢ મહિનો થયો છે હું પણ ઈચ્છું છું કે વાંકાનેરને સારું અને શાંત સીટી બનાવવા માટે પ્રયત્ન કરું. હું સ્ટેપ બાય સ્ટેપ કામ કરીશ. અને અમે ટ્રાફિક મુદ્દે કામગીરીથી શહેરની ટ્રાફિક સમસ્યા મહદઅંશે હલ કરી છે. પણ એનો અર્થ એવો નથી કે અમે અન્ય સમસ્યાઓ પર ધ્યાન નથી આપતા. અમે શહેરમાં દારૂ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિ અત્યારે સદંતર બંધ કરાવી દીધી છે આ અંગે તમે જાત તપાસ કરી જાત અનુભવ પણ કરી શકો છો. તેમ છતાં જો ક્યાંય છાને - ખૂણે આવી પ્રવૃત્તિ ચાલતી હોય તો વાંકાનેરનાં દરેક નાગરિકને અપીલ છે કે અમને જાણ કરે અમે બંધ કરાવીશું.
Q - શહેરનો સામાન્ય વ્યક્તિ તમારો સંપર્ક કઇ રીતે કરી શકે ?
A - કોઈપણ વ્યક્તિ વાંકાનેર શહેર પોલીસ સ્ટેશન ખાતે મને રૂબરૂ મળવા આવી શકે છે અને તે સિવાય ડાયરેકટ મને મારા મોબાઈલ નંબર - 990 900 1102 પર પણ નિર્ભયપણે સંપર્ક કરી શકે છે.
Q - ડીમોલેશન કામગીરી અંગે શું કહેશો
Q - ડીમોલેશનની કામગીરી સંદર્ભે લોકોમાં તંત્ર સામે થોડો રોષ પણ છે ?
A - ડીમોલેશનની કામગીરીથી લોકોમાં રોષ ઉભો થાય જો તમે એકનું દબાણ હટાવો અને બીજાનું ન હટાવો તો. અમે લગભગ દબાણકર્તાઓના દબાણો હટાવ્યા જ છે. ઉલ્ટાનું લોકોએ પણ અમને સહયોગ આપ્યો છે. અને તંત્ર સામે રોષ રહેવા અંગે આપની વાત કદાચ સાચી હોય પણ તે બહુ ઓછા લોકોમાં.
તમે જુઓ, અમે રાત્રીના નાઈટ પેટ્રોલિંગ કરી મોડે સુધી રાત્રી ઉજાગરા કરનારાને ઘરભેગા કરીએ છીએ તો એમને સારું તો ન જ લાગતું હોય ને. પરંતુ એવા લોકોની સંખ્યા સમાજમાં 0.50% જેટલી જ છે. સારા અને આદર્શ સમાજની વ્યવસ્થા માટે અમારે 99.50% લોકોને ફાયદો થાય એ કામ કરવાનું હોય અને એ જ રીતે અમે ડીમોલેશન કામગીરી કરી. બાકી પોલીસ દરેક લોકોને ગમતી જ હોય તેવું ન બને. પોલીસની કામગીરી એટલે पुलिस की जिंदगी के भी अजीब फ़साने है, यहां तीर भी चलाने है और परिंदे भी बचाने है......
![]() |
| "આપણું વાંકાનેર" ના ફાઉન્ડર Ilyas Khan અને દમદાર PSI RP જાડેજા @ અમરસર ફાટક પાસે... |
A - હા, વાંકાનેર શહેરનાં PI તરીકે 1999 - 2001ના અરસામાં શ્રીવાસ્તવ સાહેબ હતા અને એમની કામગીરી વિશે આપની પાસેથી જાણ્યું. જો કે મેં તો વાંકાનેર શહેર PSI તરીકે માત્ર મારી ફરજ જ પુરી કરી છે અને તે જ કર્યું છે જે એક પોલીસ અધિકારીએ કરવું જોઈએ. હા, મારી કામ કરવાની પેટર્ન અન્યથી થો..ડી... અલગ છે.
Q - વાંકાનેરનાં લોકો આપની પાસેથી શું આશા રાખી શકે ?
A - વાંકાનેરના લોકો તરફથી મને ઘણો સહયોગ અને પ્રેમ મળ્યો છે હવે મારે પણ તેમના પ્રેમ અને સહકારનો પોતાની PSI તરીકેની કામગીરીથી બદલો આપવો જોઈએ એવું હું માનું છું. વાંકાનેરના લોકોને હું ખાત્રી આપું છું કે શહેર માટે હું શક્ય તેટલી લોકઉપયોગી કામગીરી કરીશ અને શહેરની સુખાકારી માટે સ્ટેપ બાય સ્ટેપ આવશ્યક પગલાં ભરવા પ્રયત્નશીલ રહીશ જો કે એ માટે અધિકારીને પ્રજાનો સપોર્ટ પણ મુખ્ય પ્રેરણાબળ હોવું જરૂરી છે.
____________________
છેલ્લે છેલ્લે ..
આપણું વાંકાનેરને વિશ્વસનીય પોલીસ સુત્રોમાંથી મળેલા છેલ્લા સમાચાર મુજબ PSI RP જાડેજાનો વાંકાનેર ખાતેનો પ્રોબેશનલ PSI તરીકેનો પિરિયડ પૂરો થવા પર હતો પરંતુ શહેરના અગ્રણીઓએ મોરબી એસપી શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબને RP જાડેજાને ફરી વાંકાનેર ખાતે જ PSI તરીકેનો ચાર્જ સોંપવામાં આવે તેવી માંગણી કરી હતી જેને SP સાહેબે માન્ય રાખતા આ લોકલાડીલા PSI ને ફરીથી વાંકાનેર ખાતે ફરજ સોંપાઈ છે.
લેખક વિષે ↴
નામ : Ilyas Khan
પરિચય : લેખક આપણું-વાંકાનેર.કોમ નાં ફાઉન્ડર તથા Global Gujarat News | News of Gujarat | The Desi Times | TwoCircles.net| Beyondheadlines.in ના પૂર્વ પત્રકાર છે.
સંપર્ક : - 9898 11 3634
પરિચય : લેખક આપણું-વાંકાનેર.કોમ નાં ફાઉન્ડર તથા Global Gujarat News | News of Gujarat | The Desi Times | TwoCircles.net| Beyondheadlines.in ના પૂર્વ પત્રકાર છે.
સંપર્ક : - 9898 11 3634
લેખક વિષે ↴
નામ : Ilyas Khan
પરિચય : લેખક આપણું-વાંકાનેર.કોમ નાં ફાઉન્ડર તથા Global Gujarat News | News of Gujarat | The Desi Times | TwoCircles.net| Beyondheadlines.in ના પૂર્વ પત્રકાર છે.
સંપર્ક : - 9898 11 3634




