Wankaner : વાંકાનેર ખાતે આગામી 28/10/2018 રવિવારનાં રોજ પાંચમાં સુન્ની મુસ્લિમ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. હઝરત ખ્વાજા ગરીબ નવાઝ ક્રિએટિવ યંગ ગ્રૂપ ઓફ વાંકાનેર દ્વારા આયોજિત આ સમુહલગ્નમાં 11 દુલ્હા-દુલ્હન એકબીજા સાથે લગ્ન સંબંધે જોડાશે.
ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત સમૂહલગ્નનાં આયોજક એવા હઝરત ખ્વાજા ગરીબ નવાઝ ક્રિએટિવ યંગ ગ્રુપનાં યુવા કાર્યકરોની ટીમ સમયાંતરે આ પ્રકારનાં સમુહલગ્નનું આયોજન કરી રહી છે.
ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓનાં લગ્નપ્રસંગે તેનાં ઘરવાળાઓ પર ઓછામાં ઓછો આર્થિક બોજ આવે તેવા ઉમદા હેતુથી આ સમુહલગ્નનું આ વર્ષે પણ આયોજન કરાયું છે. જેમાં અનેક નામી-અનામી દાતાઓ પણ યથાશક્તિ યોગદાન આપી સહભાગી બન્યા છે.
-:: કાર્યક્રમની રૂપરેખા ::-
● સમૂહલગ્ન તારીખ - ૨૮/૧૦/૨૦૧૮
● સમૂહલગ્નનું સ્થળ - તાલુકા શાળા-૧ નું ગ્રાઉન્ડ
● સમય - સવારે ૧૦:૦૦ કલાકે
