13.3.18

વાંકાનેર : તાલુકા શાળા નં-૪ (રામકૃષ્ણનગર) ખાતે શિક્ષકોનો નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો


શહેરનાં રામકૃષ્ણનગર ખાતે આવેલી તાલુકા શાળા નં - 4 માંથી નિવૃત્તિ સબબ વિદાય લેતા જગદીશચંદ્ર દવે, બલભદ્રસિંહ ઝાલા, પોપટલાલ કાવઠીયા, જશુમતીબેન ચૌહાણ, અનિલાબેન લાખાણી અને કંચનબેન જોશીનો વિદાય સમારંભ કોંગ્રેસી અગ્રણી ઈરફાન પીરઝાદાનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. 

આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.આર.ગરચર, દિપાબેન બોડા, રાજકોટ જિલ્લા પ્રા.શિ.સંઘના પ્રમુખ રતુભાઈ ચાવડા, તા.પ્રા.શિ.સંઘ માળીયાના અગ્રણી દિનેશભાઇ હૂંબલ, ઘનશ્યામભાઈ દેથરીયા, ડાહ્યાલાલ બારૈયા, પૂર્વ બી.આર.સી.કો.ઓ. દિનેશભાઇ વડસોલા, બ્રહ્મસમાજ અગ્રણી ભરતભાઇ ઓઝા, નરેન્દ્રભાઈ જોશી, દીપકભાઈ ઠક્કર, ઇસ્માઇલી ખોજા જ્ઞાતિનાં અગ્રણી સલીમભાઈ મુખીયાણી, પર્યાવરણ એવોર્ડ વિજેતા કેશવલાલ નમેરા, ક્ષત્રિય આગેવાન વજુભા બાપુ, મોરબી ઉમિયા પરિવારના ઉદ્યોગપતિ, ચૌહાણ પરિવારના અગ્રણીઓએ હાજર રહી નિવૃત થયેલા શિક્ષકોની સેવાને બિદરાવી હતી. 

ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા તાલુકા શાળા આચાર્યશ્રી હસમુખરાય મકવાણા, પેટાશાળાના આચાર્યશ્રીઓ, પૂર્વ બી.આર.સી. હિતેશભાઈ સતાસીયા, પૂર્વ સી.આર.સી. અલ્પેશ દેસાણી, મનીષભાઈ, સુરેલાભાઈ, જેઠાલાલ, ગોવિંદભાઇ વગેરેએ જહેમત ઉઠાવી હતી.


લેખન અને સંકલન : ઇલ્યાસ ખાન