મૂળ ગુજરાતનાં વલસાડ શહેરનાં વતની અને હાલ ઇંગ્લેન્ડના વેમ્બલી (લંડન) ખાતે સ્થાયી મોઇનુદ્દીન હાજી ગુલામ બશીર મનીઆર આજે (18 જાન્યુઆરી) વાંકાનેરનાં મહેમાન બન્યા હતા.
મોઇનુદ્દીન મનીઆરે ખાસ કરીને ઇસ્લામ ધર્મ વિષયે અતિ ઉપયોગી અને સંગ્રહ કરવા લાયક અનેક પુસ્તકોનો ગુજરાતી અનુવાદ કરી ઇસ્લામિક ધાર્મિક સાહિત્યમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે.
હઝરત ઇમામ મુહ્યુદ્દીન અબુ ઝકરીયા યહયા બિન શરફ અન-નવવી (રહેમતુલ્લાહ અલૈહ, દમાસ્કસ (ઇરાક) દ્વારા મૂળ અરબી ભાષામાં લખાયેલ અને માતબર મહત્વ ધરાવતા પુસ્તક "રિયાદુસ્સાલિહીન" નું સુન્ની મુસ્લિમ કમિટી - ગોંડલનાં સહયોગથી મોઇનુદ્દીન મનીઆરે બે ભાગોમાં સરળ ગુજરાતી અનુવાદ કરી ગુજરાતી ઇસ્લામિક સાહિત્યની બેનમૂન સેવા કરી છે.
ઉપરાંત ગુજરાતી-ઉર્દુ શબ્દકોશ પણ તેઓનું યાદગાર પ્રકાશન છે. તેઓ આજે પોતાનાં વતન વલસાડથી અમદાવાદ અને અમદાવાદથી ખાસ બે સ્નેહી-મિત્રો અયુબખાન પઠાણ અને અશરફ ભાઈને મળવા વાંકાનેર આવ્યા હતા અને ધાર્મિક વિષયે વિવિધ ચર્ચાઓ કરી હતી.
આપણું-વાંકાનેરનાં ફાઉન્ડર ઈલ્યાસ ખાન દ્વારા તેઓને આગ્રહ કરાતા એમણે યાદગાર તરીકે એક બહુમૂલ્ય નસિહત કરતા જણાવ્યું હતું કે " તમારી ક્ષમતા મુજબનું નેક કામ કરતા રહો, પરંતુ એ નેક કામનો બદલો કે વળતરની અપેક્ષા ન રાખવી. નેકી (સદકાર્ય) ફક્ત અલ્લાહ માટે જ કરવું અને એ જ જો ચાહશે તો તેનો બદલો આપશે. "
:- તેઓનું પોસ્ટલ એડ્રેસ તથા ઇ-મેલ આઈડી :-
- Adress
Moinuddin Manier
64, Cecil avenue, WEMBLEY
Middlesex HA9 7EA, UK
mgmaniar@hotmail.com

