By : Ilyas Khan,
વાંકાનેરથી રાજકોટ જતા માર્ગ પર ગઈકાલે રાત્રે શાહુડીએ દેખા દેતા લોકોમાં કુતૂહુલ જાગ્યું છે. એટલું જ નહી પરંતુ શાહુડીએ ત્યાંથી પસાર થતા એક યુવક પર પોતાના ધારદાર કાંટા છોડી હુમલો પણ કર્યો હતો જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર વાંકાનેરથી રાજકોટ જતા રોડ પર કે જ્યાં હાલ રેલવેનું કામકાજ ચાલુ હોય બે-ત્રણ ડાયવર્જન મુકાયેલ છે તે પૈકી પહેલા ડાયવર્જન પાસે ગઈકાલે રાત્રે શાહુડીએ દેખા દીધી હોવાનું નજરે જોનાર સાક્ષીઓએ જણાવ્યું હતું.
ગઈકાલે રાત્રે 11 વાગ્યાનાં સુમારે ઉપરોક્ત માર્ગે પોતાનું એક્ટિવા મોટરસાઇકલ લઈને પસાર થતા પરવેઝભાઈ કુરેશી નામનો યુવક પોતાના મિત્ર સાથે પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન તેના એક્ટિવા સાથે 3 થી 4 ફૂટ લાંબી શાહુડી અથડાઈ હતી અને તરત જ પોતાના શરીર પરનાં ધારદાર કાંટા છટકાવી યુવક પર હુમલો કર્યો હતો અને પળવારમાં જ ગાયબ થઈ ગઈ હતી.
![]() |
| શાહુડીએ યુવક પર હુમલો કર્યો ત્યારે 3 થી 6 ઇંચ લંબાઈ ધરાવતા આવા કાંટા બંદૂકની ગોળીની જેમ ફેંક્યા હતા |
શાહુડીના આ હુમલાથી સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. ઉલ્લેખનીય છે કે શાહુડી એક શાકાહારી જીવ છે પરંતુ પોતાને ભય લાગે ત્યારે પોતાના શરીર પરના ધારદાર અને 3 થી 6 ઇંચની લંબાઈ ધરાવતા કાંટા બંદૂકની ગોળીની જેમ દુશ્મન પર છોડે છે.

