30.6.19

વાંકાનેર શહેર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ- સમિતીની બેઠક યોજાઇ

wankaner city police station meeting about ashadhi beej festival

વાંકાનેર : આજરોજ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે આગામી અષાઢી બીજનાં તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.

વાંકાનેરનાં નવનિયુક્ત પીઆઇ હર્ષવર્ધન રાઠોડનાં અધ્યક્ષપદે આયોજિત આ બેઠકમાં વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આગામી 4 જુલાઈએ અષાઢી બીજનો તહેવાર હોય વાંકાનેર શહેરમાં પણ ભરવાડ સમાજ દ્વારા શોભયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેને અનુલક્ષી શહેરમાં શાંતિ અને ભાઈચારાનો માહોલ યથાવત રહે તે માટે વાંકાનેર શહેર પોલીસ દ્વારા ઉપરોક્ત બેઠક યોજાઈ હતી.