30.6.19

વાંકાનેર શહેર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ- સમિતીની બેઠક યોજાઇ

wankaner city police station meeting about ashadhi beej festival

વાંકાનેર : આજરોજ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે આગામી અષાઢી બીજનાં તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી.

વાંકાનેરનાં નવનિયુક્ત પીઆઇ હર્ષવર્ધન રાઠોડનાં અધ્યક્ષપદે આયોજિત આ બેઠકમાં વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આગામી 4 જુલાઈએ અષાઢી બીજનો તહેવાર હોય વાંકાનેર શહેરમાં પણ ભરવાડ સમાજ દ્વારા શોભયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

જેને અનુલક્ષી શહેરમાં શાંતિ અને ભાઈચારાનો માહોલ યથાવત રહે તે માટે વાંકાનેર શહેર પોલીસ દ્વારા ઉપરોક્ત બેઠક યોજાઈ હતી. 

15.6.19

અમદાવાદ ટ્રાફિક પોલીસનો છબરડો, અદ્રશ્ય વાહનને ઇ-ચલાન ફટકારી દીધું..!!


વાંકાનેર : (ઈલ્યાસખાન દ્વારા), રાજ્ય ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા આધુનિકતા સાથે કદમ મિલાવી આઈવે પ્રોજેકટ કાર્યરત છે જેમાં CCTV કેમેરા દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોની વાહન નંબર દ્વારા ઓળખ મેળવી તેમને ઇ-ચલાન મોકલી ઓનલાઈન દંડ વસુલ કરવામાં આવે છે.

પણ ક્યારેક અતિ આધુનિકતાનાં છબરડાને કારણે નિર્દોષ વાહનચાલકોને પણ વિના વાંકે દંડાવાનો વારો આવે છે.

આવો જે એક બનાવ વાંકાનેરના વાહનચાલક સાથે બનવાની ઘટના સામે આવી છે જેમાં અમદાવાદ ટ્રાફિક પોલીસે વિના વાંકે ઇ-ચલાન પાઠવી છબરડા કરવાનો ક્રમ યથાવત રાખ્યો છે.

પ્રાપ્ત થયેલી માહિતી મુજબ વાંકાનેર કુંભારપરા ખાતે રહેતા અને પોતાનું મહિન્દ્રા મેક્સિમો વાહન ધરાવતા સુરેશભાઈ અંબાભાઈ ગુજરાતીને અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદલ ઇ-ચલાન પાઠવી દંડ ભરવા જણાવાયું છે.

વાહનચાલક સુરેશભાઈનું વાહન ત્રણ મહિનાથી ઘરે જ હોવા છતાં ઇ-ચલાન કઈ રીતે આવ્યું તે આશ્ચર્ય ઉપજાવે છે

જો કે વાહનચાલક સુરેશભાઈના જણાવ્યા મુજબ તેઓનું મહિન્દ્રા મેક્સિમો વાહન છેલ્લા ત્રણેક મહિનાથી ઘરે જ છે અને ક્યાંય બહાર લઈ ગયેલ પણ નથી. તેવામાં અમદાવાદ પોલીસની ત્રીજી આંખને આ વાહન ક્યાંથી દેખાઈ ગયું એ નવાઈ પમાડે છે.

ઇ-ચલાનની તસ્વીરમાં ક્યાંય સુરેશભાઈનું વાહન ક્યાંય દેખાતું જ નથી ..!! છે ને બાકી તંત્ર.. 

આટલું ઓછું હોય તેમ ઇ-ચલાનમાં ટ્રાફિક નિયમનો ભંગ કરવા અંગે જે ફોટા દર્શાવવામાં આવ્યા છે તેમાં ચશ્મા પહેરીને જોવા છતાં સુરેશભાઈનું મહિન્દ્રા મેક્સિમો વાહન દેખાતું નથી. વળી ઇ-ચલાનમાં દર્શાવેલ નંબર સુરેશભાઈના વાહનના જ છે તેવામાં અમદાવાદ ટ્રાફિક પોલીસના આઈવે પ્રોજેકટના કર્મચારીઓની કામગીરી પર પણ સવાલ ઉભો થાય છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા રાજકોટ અને મોરબી જિલ્લામાં પણ આઈવે પ્રોજેકટનાં આવા છબરડા બહાર આવવાની ઘટના પ્રકાશમાં આવી ચૂકી છે.