27.7.18

વાંકાનેર ખાતે આગામી રવિવારે જિલ્લા કક્ષાનાં વન મહોત્સવનું આયોજન

wankaner- aapnu wankaner - wankaner forest department

[By Ilyas Khan] :
વાંકાનેરમાં આગામી 29 જુલાઈ ના રોજ મોરબી જિલ્લાનો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ 2018 યોજાનાર છે. રાજ્ય સરકાર અને વન વિભાગ દ્વારા "ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત" નાં સ્લોગન સાથે ગુજરાતભરમાં વન મહોત્સવ ઉજવાય રહ્યા છે જે અંતર્ગત મોરબી જિલ્લાનો જિલ્લાકક્ષાનો વન મહોત્સવ વાંકાનેર ખાતે વાસણભાઇ આહીર (રા.ક.મંત્રીશ્રી, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ વિભાગ) ના અધ્યક્ષપદે યોજાનાર છે. 

ઉપરોક્ત કાર્યક્રમ આગામી તારીખ 29/7/2018 રવિવારનાં રોજ યોજાશે તથા કાર્યક્રમનું સ્થળ ગાયત્રી મંદિર, વાંકાનેર તથા સમય સવારનાં 10:00 વાગ્યાનો રાખવામાં આવેલ છે. 

કાર્યક્રમમાં જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છના સાંસદશ્રીઓ તથા મોરબી, વાંકાનેર, ટંકારા, કાલાવાડ અને ધ્રાંગધ્રાના ધારાસભ્યશ્રીઓ તેમજ જિલ્લા કલેક્ટર R.J.માકડીયા, જિલ્લા વિકાસ અધિકારી S.M.ખટાણા, નાયબ વન સંરક્ષક, મોરબી M.M.ભાલોડી ઉપસ્થિત રહેનાર છે. 

ઉપરાંત ગુજરાત રાજ્ય મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખ ભંડેરી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.